આ વર્ષે ચોમાસાએ સારી જમાવટ કરી છે. મોટાભાગના વિસ્તારોમાં 100 ટકા કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે હવે ખેડૂતો માટે રાહત આપતાં સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત્ છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદી સિસ્ટમ ન હોવાથી વરસાદની શક્યતા નથી. પરંતુ ચોમાસામાં ઉનાળા જેવો તાપ સહન કરવો પડી શકે છે.
રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની નહીવત્ શક્યતા છે. હાલમાં રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે રાજ્યના કોઈ પણ ભાગમાં ભારે વરસાદ ન થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 120 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.