સમગ્ર ગુજરાતમાં લોકડાઉન ચાલુ છે ત્યારે થોડા દિવસ પહેલા ઠંડા પીણા અને આઈસ્ક્રીમ, કોલ્ડ્રીક્સ પીવાથી કોરોના થાય તેવી અફવા ફેલાઈ હતી જેને લઈને કેન્દ્ર સરકારે એક ગાઈડ લાઈન જાહેર કરીને ખુલાસો કર્યો હતો ત્યાર બાદ ગુજરાત સરકાર તરફથી ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નરે એક પત્ર જાહેર કર્યો હતો.


ગુજરાત સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હવે ખાદ્ય ચીજ વસ્તુ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું નથી. તેમજ ઠંડાપીણા, આઈસ્ક્રીમ, ફ્રોઝન ફૂડ જેવી ખાદ્ય ચીજ વસ્તુઓના સેવનથી કોવીડ-19નો ફેલાતો થતો નથી. જેને લઈને સદર ખાદ્ય ચીજ વસ્તુઓનું યોગ્ય રીતે ઉત્પાદન, સંગ્રહ વહ તથા વેચાણ કરાતો હોય તો તેને કારણ વગર ન અટકાવવા જણાવવામાં આવેલ છે.