હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રિ રશિકો મુંઝવણમાં છે કે આ વખતે નવરાત્રિ યોજાશે કે નહીં? ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ સોમવારે પત્રકારો પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હાલ કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે હું અંગત પણે માનું છું કે, નવરાત્રિ થવી જોઈએ નહીં.


પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની આ સ્થિતિમાં ગરબાના કાર્યક્રમોના આયોજનોની જાહેરાત થવી જોઈએ નહીં. હું અંગતપણે માનું છું કે આવા કાર્યક્રમો ન થવા જોઈએ.

કારણ કે ડોક્ટરો પણ તેનો વિરોધ કરી રહ્યાં છે. સરકાર અને ગરબા આયોજકો વચ્ચે આ અંગે વાતચીત ચાલી રહી છે અને આયોજકોએ પણ આ સમજવાની જરૂર છે. આ અંગે આયોજકોને પણ સરકાર સમજાવશે તેવું તેમણે જણાવ્યું હતું.