ગાંધીનગર:સરકાર દ્વારા જંત્રીના દર બમણા કરવાનો નિર્ણય લેવાતા  બિલ્ડર એસોસિએશન વિરોધ જોવા મળી રહ્યો છે.સરકારે જમીન, મકાન સહિત સ્થાવર મિલકતોના સરકારી મૂલ્યો વધારો કરતા  આ મામલે સરકાર સામે સ્ટેન્ડ લેવા આજે બિલ્ડર અને ડેવલપર્સની બેઠક યોજાશે તો આજે 4 વાગે ક્રેડાઇ એસોશિએશની બેઠક મળશે.


સરકારે જાહેર કરેલી નવી જંત્રી મામલે બિલ્ડરોમાં ભારે અસમંજસની સ્થિતિમાં હોવાથી બપોરના 1.30 કલાકે ગુજરાત ક્રેડાઈના બોર્ડ મેમ્બર્સની  ઓનલાઈન બેઠક મળશે. ખેડુતો અને નવી મિલકત લેવા ઇચ્છુક નાગરિકો માટે સ્પષ્ટીકરણ ન હોવાનો મત જોવા મળી રહ્યો છે. આ મુદ્દે જ સાંજે 4 કલાકે અમદાવાદ ક્રેડાઇ એકમની પણ  બેઠક મળશે

નવા જંત્રીના કાયદામાં સુસંગતતા લાવવા માટે બેઠકમાં ચર્ચા થશે. બિલ્ડરોના મત અનુસાર જંત્રી પહેલા બનેલી ઇમારતોના દર નક્કી કરવામાં ભારે સમસ્યા ઉભી થશે.જંત્રી પહેલા દસ્તાવેજની પ્રક્રિયા શરૂ થઈ હોય પણ જંત્રીના નવા દર લાગુ પડ્યા સુધીમાં પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય તો શું લાગુ થશે તેને લઈને પણ ભારે મુંઝવણ હોવાથી ક્રેડાઇની આ મુદ્દે બેઠક મળશે


મહેસૂલ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ  2011માં છેલ્લે જંત્રીના ભાવ વધારવામાં આવ્યા હતા. 5 ટકા જંત્રી લેવામાં આવતી હતી. આમ તો જંત્રીના ભાવમાં દર વર્ષે વધારો થવો જોઈએ, પરંતુ કોઈક કારણોસર આ ભાવ વધારો અમલી બન્યો નહોતો. અવારનવાર આ બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને અંતે સરકારે  જંત્રીમાં 100 ટકાનો વધારો ય કર્યો છે.સરકારના એકાએક નિર્ણયના કારણે બિલ્ડરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ કારણે  ક્રેડાઈ હાઉસ ખાતે કેટલાક ડેવલોપર ભેગા થશે અને ચર્ચા કરવામાં આવશે.


 રાજ્યમાં  જંત્રીના ભાવ બમણા કરવામાં આવ્યા છે. 12 વર્ષ બાદ રાજ્યમાં જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.  જંત્રીના ભાવને લઈ મહેસૂલ વિભાગનો પરિપત્ર જાહેર કરાયો છે. હાલ જંત્રીમાં ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે. રાજ્યમાં હવેથી ડબલ જંત્રી ગણી મિલકતોની બજાર કિંમત નક્કી થશે. જંત્રીના નવા ભાવ આવતીકાલ (સોમવાર)થી લાગુ થશે.  


સરકારના જણાવ્યા મુજબ ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજારકીમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નકકી કરવામાં આવે છે. અગાઉ તા.18/04/2011 ના ઠરાવથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )2011 ના ભાવો અમલમાં મુકવામાં છે. આ ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે. રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજયમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે.