ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંકમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 1351 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં વધુ 10 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3463 પર પહોંચ્યો છે.


રાજ્યમાં આજે કુલ 1334 દર્દી સાજા થયા હતા અને 56,738 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 44,74,766 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.46 ટકા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, સુરતમાં 2,પંચમહાલમાં 1, સાબરકાંઠામાં 1 અને વડોદરામાં 1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ