અમદાવાદ: કોરોના વાયરસનો પ્રકોપ ગુજરાતમાં પણ યથાવત છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ મૃત્યુઆંક 3 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા 44 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અગ્ર સચિવ જયંતિ રવીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.


જયંતિ રવીના જણાવ્યાનુસાર, જે કુલ 44 કેસ છે એમાં અમદાવાદમાં 15,વડોદરામાં 8, સુરતમાં 7, રાજકોટમાં 5, ગાંધીનગરમાં 7 અને કચ્છ અને ભાવનગરમાં 1-1 કેસ છે. નોંધનયી છે કે, ભાવનગર જિલ્લામાં પ્રથમ કેસ સામે આવ્યો છે.

આ પહેલા બુધવારે અમદાવાદમાં 85 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું.  મૃતક અમદાવાદની મહિલા છે અને તેઓ સાઉદી અરેબિયામાં મક્કા મદિનાથી પરત ફર્યા હતા. આ પહેલા સુરતમાં એક વ્યક્તિનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું.



દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 719 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમાંથી 16 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 45 દર્દી રિકવર થઈ ગયા છે. કોરોના વાયરસથી સંક્રમિત સંખ્યા સૌથી વધુ સંખ્યા હાલમાં કેરળમાં છે, અહીં 137 દર્દી છે જ્યારે મહારાષ્ટ્રમાં 128 છે.
દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 22, 340 લોકોના મોત થયા છે અને 121, 227 દર્દીઓ ઠીક પણ થઈ ગયા છે.