સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં બે, સાયલા તાલુકાના ગુંદિયાવાડામાં એક અને નડાળા ગામમાં બે પોઝિટિવ કેસ મળી કુલ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં દર્દીઓની હિસ્ટ્રી પુના, અમદાવાદ અને મુંબઈની હોવાનું બહાર આવ્યું છે.
નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનો પોઝિટિવ દર્દીઓની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે.