ગુજરાત સરકારે લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપી છે. જેને લઈને સોમવાર સાંજે સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી જે આજથી આગુ થશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વેપાર-ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે.
માવાના બંધીણીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો. આજથી ગુજરાતમાં પાન-મસાલાની દૂકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે આજથી કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય પાન-માવા, સિગારેટની દુકાનો ખુલી શકશે. જોકે પાન, મસાલા, સિગારેટ સહિતનો સામાન લઈને ગ્રાહકે ત્યાંથી નીકળી જવાનું રહેશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક દિવસ પહેલા જ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાહેરમાં થૂંકવા પર 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.