અમરેલીઃ રાજુલા પાસે સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો, વન વિભાગ આવ્યું હરકતમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2020 09:44 AM (IST)
અમરેલી જિલ્લાની રાજુલા રેંજમાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ.
અમરેલીઃ માનવભક્ષી દીપડા પછી હવે અમરેલીમાં સિંહણ પણ માનવભક્ષી બની છે. અમરેલી જિલ્લાના રાજુલા નજીક સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો છે. સિંહણે કરેલા હુમલામાં બાળકનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. સિંહણને પકડવા માટે વનતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું છે અને પાંજરા પણ મુકવામાં આવ્યા છે. આ ઘટના ગઈ કાલે રાતે રાજુલા રેંજમાં બની હતી.