અમદાવાદઃ ગુજરાતમાં આજે કોરોનાના 56 કેસ નવા આવ્યા છે જ્યારે 2 લોકોના મોત થયા છે. સરકારે જાહેર કરેલ આંકડા પ્રમાણે છેલ્લા 12 કલાકમાં આ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીની કુલ સંખ્યા 695 થઈ ગયા છે. જ્યારે કુલ મૃત્યુ 30 થયા છે.
આજે જે નવા 56 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 42, સુરતમાં 6, વડોદરામાં 3, બોટાદમાં 1, પંચમહાલમાં 3 અને ખેડામાં 1 નવો કેસ સામે આવ્યા છે. આજે જે બે દર્દીના મૃત્યુ થયા છે તેમાં વડોદરામાં એક સ્ત્રી દર્દી (14 વર્ષ) અને સુરતમાં એક સ્ત્રી દર્દી (45 વર્ષ)નો સમાવેશ થાય છે. ૧૪.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ કેસોની વિગત
જિલ્લો કેસ પુરુષ સ્ત્રી
અમદાવાદ ૪૨ ૨૪ ૧૮
સુરત ૦૬ ૦૫ ૦૧
વડોદરા ૦૩ ૦૩ ૦૦
બોટાદ ૦૧ ૦૧ ૦૦
પંચમહાલ ૦૩ ૦૩ ૦૦
ખેડા ૦૧ ૦૧ ૦૦
કુલ ૫૬ ૩૭ ૧૯
ગુજરાતમાં જે 695 કેસ જેમાંથી 8 ક્રિટિકલ છે જ્યારે 598 સ્ટેબલ છે. જ્યારે 59 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 30એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2354 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 78 પોઝિટિવ, 2268 નેગેટિવ આવ્યા છે. ગુજરાતમાં કુલ કેસ
ક્રમ જીલ્લો કેસ મૃત્યુ ડીસ્ચાર્જ
અમદાવાદ ૪૦૪ ૧૩ ૧૩
વડોદરા ૧૧૬
સુરત ૪૮
ભાવનગર ૨૬
રાજકોટ ૧૮
ગાંધીનગર ૧૬
પાટણ ૧૪
ભરૂચ ૧૧
આણંદ ૧૦
૧૦ પંચમહાલ
૧૧ છોટા ઉદેપુર
૧૨ કચ્છ
૧૩ મહેસાણા
૧૪ પોરબંદર
૧૫ ગીર-સોમનાથ
૧૬ દાહોદ
૧૭ બનાસકાંઠા
૧૮ જામનગર
૧૯ મોરબી
૨૦ સાબરકાંઠા
૨૧ બોટાદ
૨૨ ખેડા
કુલ ૬૯૫ ૩૦ ૫૯
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 17334 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 695 પોઝિટિવ આવ્યા છે જ્યારે 16631 નેગેટિવ આવ્યા છે.