બનાસકાંઠા: પાલનપુરમાં એક દંપતિએ ઝેરી પદાર્થ ગટગટાવી હોવાની ઘટના સામે આવી છે. ઝેરી દવા પીધા બાદ પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિને સારવાર માટે હોસ્પિટલે ખસડેવામાં આવ્યો હતો. જોકે, પતિનું પણ સારવાર દરમિયાન મોત થતા અરેરાટી મચી જવા પામી છે. મુતક મુકેશ પરમારે આર્થિક તંગીને લીધે ઝેરી દવા ગટગટાવી હોવાની માહિતી સામે આવી રહી છે. 




એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, મૃતક મુકેશ પરમાર જ્યાં મજૂરીકામ કરતા હતા તે મકાન માલિકે પૈસા ના આપતા ઝેરી દવા ગટગટાવી હતી. આપઘાતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. હાલમં પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.


ભાવનગરમાં સામાન્ય બોલાચાલી બાદ માલધારી યુવકની હત્યા


ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં માલધારી યુવકની હત્યા કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા સામાન્ય બોલાચાલી બાદ મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે. કૌશિક મેર નામના યુવકની ચાર શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.જે બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો.




આજે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. આ ઘટનાને લઇ ભરત નગર પોલીસમાં ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.


સુરતમાં 10 વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા



સુરત જિલ્લામાં અપહરણ અને હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડોદરા ચાર રસ્તા વિસ્તાર ખાતેથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા અને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તાના શિવમ સત્યમ નગરમાં રહેતા અમરેન્દ્રન ઉર્ફે શિવમ 5મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. 8 તારીખની સાંજે ક્રિષ્ના નગરમાંથી ટ્યુશન કલાસમાંથી પરત ફરતો હતો તે દરમ્યાન નજીકમાં જ રહેતા સોનુ અને મોનું નામના ઈસમોએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને શિવમનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ શિવમના પિતા સુધીર કુમાર મહતો ,(જહાનાબાદ બિહારના રહેવાસી )પાસે ફોન કરી કરી 50 હજાર રૂપિયાની ખંડણી માંગી હતી અને ત્યારબાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.