અમદાવાદ ખાતે Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન અને એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

Continues below advertisement


શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર નરેન્દ્રભાઈ ચૌહાણને Abp અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ રહેનાર શિક્ષક નરેન્દ્રભાઈ ચૌહાણ ડભોઈની વાયરપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. શાળામાં બિનઉપયોગી જમીનમાં કિચન ગાર્ડન બનાવી વિદ્યાર્થીઓને સંપુર્ણ પોષણ યુક્ત આહાર માટે કામ કરતા નરેન્દ્ર ચૌહાણનું સન્માન કરાયું હતું.