Continues below advertisement

Gujarat Weather: દિત્વાહ વાવાઝોડું ભારતની ખૂબ જ નજીક પહોંચી ગયુ છે. તે તમિલનાડુ પાસેથી પસાર થઇ રહ્યું છે. સૌથી વધુ તેની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચરીમાં થશે.વાવાઝોડાની અસરથી આ ત્રણેય રાજયોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ટૂંકમાં આ વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના રાજ્યો પર થશે. દિત્વાહ વાવાઝોડાના પગલે મહારાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે ખાસ કરીને મહારાષ્ટ્રના દક્ષિણ ભારતના વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આ વાવાઝોડની ગુજરાત પર અસરને નકારી છે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદછાયું વાતાવરણ રહેશે અને સવાર ધુમ્મસ રહે તેવી શક્યતા છે. જો કે આગામી 3થી4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો કે આગામી દિવસોમાં ગુજરાતમાં 2થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા. ઉપરાંત ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આગામી દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

વાવાઝોડાનો સામનો કરવા માટે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે

Continues below advertisement

તમિલનાડુ સરકારે ચક્રવાત દિત્વાહના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યભરમાં અઠ્ઠાવીસ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે, અને સંવેદનશીલ જિલ્લાઓમાં 6,000 રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે. સરકાર સતત કટોકટી યોજનાઓની સમીક્ષા કરી રહી છે, સલામત આશ્રયસ્થાનો સ્થાપિત કરી રહી છે અને એક મહિનાની અંદર આ બીજી મોટી હવામાન ઘટના માટે તૈયાર રહેવા માટે સ્થાનિક એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 6ઠ્ઠી બટાલિયનની પાંચ ટીમો, જે FWR અને CSSR સાધનોથી સંપૂર્ણપણે સજ્જ છે, તેમને ગુજરાતના વડોદરાથી ચેન્નાઈ એરલિફ્ટ કરવામાં આવી છે. આ ટીમો તમિલનાડુમાં રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવશે.

શ્રીલંકામાં 153 લોકોના મોત 

ચક્રવાત દિત્વાહએ પડોશી શ્રીલંકામાં ભારે વિનાશ મચાવ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મુશળધાર વરસાદને કારણે ઓછામાં ઓછા 153  લોકોના મોત થયા છે અને લગભગ 200 લોકો હજુ પણ ગુમ છે. દરમિયાન, ચેન્નાઈ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે. ચેન્નાઈ એરપોર્ટે શનિવારે 54 ફ્લાઇટ્સ રદ કરી હતી અને રવિવાર માટે 47  વધુ ફ્લાઇટ્સની જાહેરાત કરી હતી - જેમાં 36 સ્થાનિક અને 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. અધિકારીઓએ મુસાફરોને ચેતવણી આપી છે કે પરિસ્થિતિના આધારે ફ્લાઇટ્સમાં વધુ ફેરફાર થઈ શકે છે, તેથી તેઓએ અપડેટ્સ માટે તેમની એરલાઇન્સને ઇન્કાયરી કરવી. વાવાઝોડાની અપડેટ પર નજર રાખવા માટે રેલ્વેએ એક ખાસ યુદ્ધ રૂમ શરૂ  કર્યો છે.