Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાનો ફફડાટ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 500થી વધુ કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Mar 2021 07:47 PM (IST)
રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું છે. કોરોના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે.
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 515 નવા કેસ નોંધાયા હતા જ્યારે 405 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4413 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 264969 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.33 ટકા પર પહોંચ્યો છે. હાલ 2858 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 2815 લોકો સ્ટેબલ છે. આજે ક્યા કેટલા કેસ નોંધાયા ? આજે અમદાવાદ કોર્પોરેશનમાં 113, સુરત કોર્પોરેશન 101, વડોદરા કોર્પોરેશનમાં 90, રાજકોટ કોર્પોરેશન 46, વડોદરા-13, કચ્છ-11, રાજકોટ-10, આણંદ-9, ખેડા-9, સુરત-9, ભરુચ- 8, મહેસાણા-8, સાબરકાંઠા-8, ગાંધીનગર-7, જામનગર-7, ગીર સોમનાથ-6, જામનગર કોર્પોરેશન-6, જુનાગઢ કોર્પોરેશન-6, મહીસાગર-6 અને પંચમહાલમાં 6 કેસ નોંધાયા હતા. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 12,37,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 2,90,011 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,23,245 લોકોને રસી આપવામાં આવી છે.