Ambaji Mandir Prakshalan Vidhi: ભાદરવા સુદ પૂનમના દિવસે અંબાજી મંદિરમાં મહામેળો યોજાયો હતો, આ મેળામાં ગુજરાત અને ગુજરાત બહારથી લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શન માટે આવ્યા હતા, પાંચ દિવસના ભાદરવી પૂનમના અંબાજીના મેળામાં લાકોની જનમેદની ઉમટી પડી હતી, હવે આ મેળો પુરો થયો બાદ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજી હતી. આની સુંદર તસવીરો સામે આવી છે. જુઓ.... 




ગઇ 29મી સપ્ટેમ્બરે, ભાદરવા સુદ પૂનમના દિવસે શક્તિપીઠ અંબાજીમાં પૂનમનો મહામેળો ભરાયો હતો, આજે આ મેળાની સમાપ્તિ બાદ મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઇ હતી. આજે અંબાજી મંદિરમાં ભારી ભીડ વચ્ચે મંદિરમા યોજાઈ પ્રક્ષાલન વિધિની શરૂઆત સવારે થઇ હતી,




મંદિરની પવિત્રતાને લઇને દર વર્ષે મેળાની સમાપ્તિ બાદ પ્રક્ષાલન વિધિ યોજવામાં આવતી હોય છે.




આ પ્રક્ષાલન વિધિમાં મીડિયાકર્મીઓ દૂર રાખાયા હતા. પ્રક્ષાલન વિધિ દરમિયાન અંબાજી મંદિર, ગર્ભગૃહ, ચાચર ચોક, માતાજીના શણગાર ના આભૂષણો, પૂજાના સાધનો સહિત તમામ વસ્તુઓની વિધિ વિધાન પ્રમાણે સાફ સફાઇ કરવામાં આવી હતી.




ઉલ્લેખનીય છે કે, આજે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ થઇ છે, અને આજની સાંજની આરતી રાત્રે 9 કલાકે થશે. આ પછી આવતીકાલથી અંબાજી મંદિરનાં દર્શન અને આરતી રાબેતા મુજબ થતી રહેશે. 







અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશનો સમય બદલાયો, જાણો ક્યારે ખૂલશે દ્વાર


અંબાજી મંદિરમાં આજે એક દિવસ માટે દર્શનાર્થીઓ માટે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર આજે બપોરે દોઢ વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.  ભાદરવી પૂનમના મેળાના સમાપન બાદ આજે પ્રક્ષાલન વિધિ કરવામાં આવતી હોવાથી મંદિરના દ્રાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. આરતી અને દર્શનના સમયમાં પણ પ્રક્ષાલન વિધિના કારણે  ફેરફાર કરવામાં આવ્યો છે. .. સોમવારથી રાબેતા મુજબ દર્શન અને આરતીનો સમય રહેશે. સોમવારથી દર્શનાર્થીઓ રાબેતા મુજબ દર્શન આરતીનો લાભ લઇ શકશે. અંબાજી ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે  45 લાખ જેટલા માંઈ ભક્તોએ  માના દર્શન કર્યાં.અંબાજી મંદિર ખાતે  એક માંઈ ભક્તે  250 ગ્રામ સોના ની ત્રણ લગડી દાન કરી. અંબાજી મંદિર માં છેલ્લા 7 દિવસ માં 466 ગ્રામ સોનાના દાન આવ્યું. પૂનમને લઇ મોટી સંખ્યામાં ભક્તો  દર્શન માટે આવે છે.


સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો સંપન્ન થયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સહિત સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ અદ્ભુત સગવડ, સ્વચ્છતા અને સુરક્ષાના આયોજનથી માઈભક્તો માટે આ આસ્થા પર્વ એક યાદગાર અનુભવ બની ગયો.અંબાજીના મેળા માટે ST નિગમને રૂ. 7 કરોડની આવક થઇ, ખાસ અંબાજીના મેળા માટે  વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. 1200 જેટલી વધારાની બસોમાં 10 લાખ જેટલા પ્રવાસીઓએ  મુસાફરી કરી. 1200 બસો મારફતે 24 હજાર ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું.