Amreli Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. આજે અમરેલીમાં બગસરા - જેતપુર હાઇવે પર મીની બસે પલટી મારી હતી. ખાનગી મીની બસમાં 35 મુસાફરો હતા. જેમાં 15થી વધુ લોકોને નાના-મોટી ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા.


મૃતકના નામ



  • ગીતાબેન હરસુખભાઈ રૂડાણી. ઉ.વર્ષ.૬૦

  • આરતીબેન હિરેનભાઈ ઉ.વર્ષ.૭


અમદાવાદ મહેસાણા હાઇવે પર શેરથા ગામ નજીક ટ્રક અને જયુપીટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 36 વર્ષીય યુવક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય એક બાળક પણ ઈજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે સિવિલ ખેસેડાયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


છત્તીસગઢના બેમેતરામાં રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો, જેમાં ત્રણ બાળકો સહિત આઠ લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા જ્યારે 21 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને રાયપુરની એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને બેમેતરા અને સિમગાના સીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે. મામલો બેમેતરા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠીયા પેટ્રોલ પંપ પાસેનો છે. માહિતી મળી છે કે પેસેન્જર ભરેલી એક પીકઅપ ટ્રકે રોડ કિનારે પાર્ક કરેલી ટાટા 407ને ટક્કર મારી હતી, જેમાં લગભગ 26 લોકો ઘાયલ થયા હતા.


કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપમાં સવાર તમામ લોકો પારિવારિક કાર્યક્રમ માટે ગામ તિરૈયા ગયા હતા અને ત્યાંથી તેમના ગામ પર્થરા પરત ફરી રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કલેક્ટર અને એસપીની સાથે એસડીએમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં ઘાયલોની સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી હતી.  તમામ લોકો તિરૈયા ગામથી સમધિન ભેટ કાર્યક્રમ માટે ગયા હતા અને કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કઠિયા ગામ પાસે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં બાળકો સહિત 8 લોકોના મોતના સમાચાર છે. અકસ્માત સર્જાતા પીકઅપ વાનમાં એક જ પરિવારના 40 થી 50 જેટલા લોકો બેઠા હતા. તમામ લોકો પથરા ગામના રહેવાસી છે અને સાહુ સમુદાયના છે. ઘટનાની માહિતી મળતા જ વિસ્તારના ધારાસભ્ય દીપેશ સાહુ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યાં તેમણે ડોક્ટરોને ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોની સારી સારવાર માટે સૂચના આપી હતી.