અમરેલીઃ બગસરા પંથકમાં આતંક મચાવનારા માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આજે ફરી એક વખત દીપડાએ હુમલો કરતાં બગસરા પંથકમાં ચકચાર મચી ગયો છે.


મળતી માહિતી મુજબ, બાઇક પર જઈ રહેલા ઉપ સરપંચ ઘેલાભાઈ ભાદાભાઈ સુહાગીયા પર દીપડાએ હુમલો કર્યો હતો. બાઈક ચલાવતી તેમણે ગળે મફલર અને શાલ ઓઢી હોવાથી બચાવ થયો હતો. દીપડાના નહોરના કારણે તેમનો શર્ટ ફાટી ગયો હતો અને લોહી નીકળ્યું હતું. ઘાયલ અવસ્થામાં તેમણે બગસરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી હતી.



રવિવાર, તા. 29 ડિસેમ્બર, 2019ના રોજ વડોદરાના નિઝામપુરા અતિથિગૃહ ખાતે યોજાયેલા સમસ્ત વસાવા સમાજના સ્નેહ સમારોહમાં વનમંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું, બધા જ પ્રકારના પશુ પક્ષી ગુજરાતમાં છે. એશિયાટિક લાયન માત્ર ગુજરાત પાસે જ છે. દીપડાની સખ્યા 1400 જેટલી છે. દીપડાને કંટ્રોલ કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. પકડાયેલા માનવભક્ષી દીપડાને સફારી પાર્કમાં રાખવામાં આવશે.



થોડા દિવસો પહેલા જાહેર થયેલા આકંડા પ્રમાણે, વર્ષ 2006માં થયેલી વસતિ ગણતરી મુજબ દીપડાઓની સંખ્યા 1070 હતી. જે 2016મં વધીને 1395 થઈ હતી.  હલા દીપડાની વસતિ અંદાજે 1500 પહોંચી ગઈ છે. જ્યારે દીપડાઓના હુમલાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 500 ટકાનો વધારો થયો છે.

મહારાષ્ટ્રમાં આજે થઈ શકે છે વિભાગોની ફાળવણી, જાણો કોને કયુ મંત્રાલય મળી શકે

 ‘તારક મહેતા કા....’માં થશે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આ સ્ટાર એકટરની એન્ટ્રી, ટપુ સેના કરશે ડાન્સ પરફોર્મ

સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, આ કોડવર્ડ પર હાજર થઈ જતી કોલ ગર્લ

મધદરિયે ક્રૂઝ પર ‘DJ વાલે બાબુ’ ગર્લને હાર્દિક પંડ્યાએ કિસ કરીને કર્યું , જુઓ સગાઈની તસવીરો