આણંદઃ ઉમરેઠ ડાકોર માર્ગ પર યુવકની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. અંબિકા નગર સોસાયટી આગળ ઝાડ પર લટકી યુવકે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મરનાર અજાણ્યો યુવક 35 વર્ષની આસપાસનો હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે ઝાડ પર લાશ દેખાતા વાહનચાલકો જોવા ઉમટયા હતા. 


લટકતી લાશ હત્યા કે આપઘાતની અટકળો તેજ બની છે. ઉમરેઠ ડાકોર હાઇવે અને રેલ્વે વચ્ચે બનાવ બન્યો હતો. સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ મૂંઝવણમાં છે. યુવકે ચેક્સવાળો સર્ટ અને પેન્ટ પહેરેવું છે. તેમજ હાથના કાંડા પર બેલ્ટ બાંધેલો છે. 


Vadodara : દિવાળીની રાતે ફટાકડા ફોડવા બાબતે બે જુથ વચ્ચે બબાલ, DCP પર પેટ્રોલ બોમ્બ ઝીંકાયો


Vadodara : દિવાળીની રાતે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસ અધિકારી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. રાત્રે 1 વાગ્યા આસપાસ પાણીગેટ વિસ્તારમાં અચાનક સ્ટ્રીટ લાઇટ બંધ થઇ ગઇ હતી. ત્યાર બાદ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં રોડ સાઇડમાં પાર્ક કરેલા વાહનોને આગચંપી કરાી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.


તોફાનને કાબૂમાં લેવી પોલીસ પહોંચી ત્યારે DCP ઝોન-3 યશપાલ જગાણીયા પર પોળના એક મકાનમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જો કે, તેમાં તેમનો બચાવ થયો હતો. 


પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં થયેલી ધમાલ મામલે ડીસીપી જસપાલ જગાણિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દિવાળીને કારણે આમને સામને ફટાકડા ફોડવા અને રોકેટ છોડવા મામલે બબાલ થઈ હતી. સીસીટીવીમાં દેખાયેલા બંને જૂથના 19 લોકો ની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કર્યા છે. 


મોડી રાત્રે 2 જૂથ વચ્ચે પથ્થર મારા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ એ વિસ્તાર ના સીસી ટીવી ફૂટેજ મેળવ્યા હતા. પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હોવાની માહિતી પણ સામે આવી છે. લાઈટ બંધ કરાયા બાદ પથ્થર મારો શરૂ થયો હતો. હાલ જનજીવન સામાન્ય છે. પોલીસ સુરક્ષા ગોઠવાઈ. પાણીગેટના અતિ સંવેદનસીલ વિસ્તારમાં ધમાલથી વાતાવરણ તંગ બન્યું છે. લારીઓ, બાઇક સડગાવાયા છે. 


Bhavnagar : દિવાળીના દિવસે જ પતિએ પત્નીની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો


ભાવનગરઃ ભાવનગર શહેરના ઇન્દિરા નગર વિસ્તારમાં ખૂદ પતિએ જ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.  દિવાળીના પર્વ પર તીક્ષણ હથિયાર વડે પત્નીની હત્યા કરવામાં આવી છે અન્ય બે લોકો મહિલાને બચાવવા જતા ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.   હત્યાના બનાવને લઈ ડી.ડિવિઝન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


શહેરના ઈન્દિરાનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી કરી પતિએ  પત્ની પર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંકી હતી. બે લોકો પણ ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.  હિંમતભાઈ દાનાભાઈ જોગદીયા અને તેમના પત્ની દીપુબેન વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. વાતવાતમાં ઝઘડાે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હિંમતભાઈએ પોતાના પાસે રહેલી છરી વડે પત્ની દીપુબેન પર અને અન્ય બે વ્યકિત પર હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર ઈજા થતા દીપુબેનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા.