નવી દિલ્લી: બુધવારે  દિલ્લીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા અંગે નિર્ણય કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રીનો રાજીનામાનો પત્ર બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે. અને ગુજરાતના નવા સીએમ અંગે નિર્ણય લેવાઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે સોમવારે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામાંની ઓફર કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા મુખ્યમંત્રીની રેસમાં નીતિન પટેલ અને વિજય રૂપાણી છે. આનંદીબેને વધતી ઉમરને કારણે રાજીનામું આપ્યું છે