Aravalli: મોડાસામાંથી વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, એસઓજી પોલીસની ટીમે અચાનક દરોડા પાડતા મોડાસામાંથી નકલી કપાસિયા તેલ બનાવતી કંપનીને પકડી પાડી છે. આ કામનો મુખ્ય આરોપી અમિત શાહ છે, જેને પકડીને પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 


માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લાના મોડાસામાં તિરૂપતિ કપાસિયા તેલના નામે નકલી તેલના ડબાનું પેકિંગ કરતી ફેકટરી ઝડપાઈ છે. મોડાસા GIDCમાંથી નકલી કપાસિયા તેલના ડબાના પેકિંગનું પર્દાફાશ અરવલ્લી SOGએ કર્યો છે. મોડાસા GIDC ખાતે લક્ષ્મી પ્રૉટીન્સ ફેકટરીમાં નકલી તિરૂપતિ કપાસિયા તેલના ડબાનું પેકિંગ કરવામાં આવતુ હતુ, તેલના જૂના ડબા પર અન્ય બીજુ તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર અને બૂચ મારીને પેકિંગ કરવામાં આવતુ હતુ. SOG પોલીસને આ મામલે બાતમી મળતા અચાનક દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે 8 ડબ્બા, 36 સ્ટીકર અને 38 જેટલા ડબ્બાના બૂચ જપ્ત કર્યા હતા. 


આ સમગ્ર ઘટનાનો પર્દાફાસ અરવલ્લીની SOG પોલીસે કર્યો છે, આ ગુનાખોરીનો મુખ્ય આરોપી મોડાસાનો અમિત શાહ છે, અને પોલીસે હવે અમિત શાહને ઝડપી પાડીને કૉપીરાઇટ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિફાઇન્ડ તેલના નામે ડબ્બા પર અન્ય તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર મારી વેચાણ કરતું આ મોટુ કૌભાંડ બહાર આવ્યુ છે. 


 


મતદાર યાદીમાં આપોઆપ તમારું નામ ઉમેરાઈ જશે અને દૂર થઈ જશે, ગૃહ પ્રધાન અમિત શાહે કરી મોટી જાહેરાત


Births Death Data Link With Electoral Rolls: સરકાર જન્મ અને મૃત્યુ સંબંધિત ડેટાને મતદાર યાદી સાથે લિંક કરવા સંસદમાં બિલ લાવવાની યોજના બનાવી રહી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરના કાર્યાલય 'જનગણના ભવન'નું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એવી પ્રક્રિયા છે જે વિકાસના એજન્ડાનો આધાર બની શકે છે.


તેમણે કહ્યું કે, ડિજિટલ, સંપૂર્ણ અને સચોટ વસ્તી ગણતરીના ડેટાના બહુ-પરિમાણીય લાભ થશે. વસ્તી ગણતરીના ડેટા પર આધારિત આયોજન એ સુનિશ્ચિત કરે છે કે વિકાસ ગરીબમાં ગરીબ સુધી પહોંચે. શાહે એમ પણ કહ્યું હતું કે, જન્મ-મરણ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વિકાસના કામોનું યોગ્ય આયોજન કરી શકાય.


'મતદાર યાદીમાંથી તમારું નામ આપોઆપ ઉમેરાઈ જશે અને દૂર થઈ જશે'


અમિત શાહે કહ્યું, “મૃત્યુ અને જન્મ રજીસ્ટરને મતદાર યાદી સાથે જોડવા માટે સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ, જ્યારે વ્યક્તિ 18 વર્ષની થાય છે, ત્યારે તેનું નામ આપોઆપ મતદાર યાદીમાં સામેલ થઈ જશે. તેવી જ રીતે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તે માહિતી આપમેળે ચૂંટણી પંચ પાસે જશે, જે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની પ્રક્રિયા શરૂ કરશે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ (RBD), 1969 માં સુધારો કરવા માટેનું બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જારી કરવા, લોકોને સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ આપવા વગેરે સંબંધિત બાબતોને પણ સરળ બનાવશે. શાહે જણાવ્યું હતું કે, "જો જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રના ડેટાને વિશેષ રીતે સાચવવામાં આવે તો વસ્તી ગણતરી વચ્ચેના સમયનો અંદાજ લગાવીને વિકાસના કામોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય છે."