ગાંધીનગર : રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇને રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી હતી. રાજ્યમાં શાળા તબક્કાવાર રીતે ખોલવાની સરકારની યોજના છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, હાઇપાવર કમિટીના નિર્ણય બાદ શાળાઓ કોલેજો ખોલવા અંગે નિર્ણય કરાશે.


કોરોના સંકટના કારણે શાળાઓ બંધ છે. સરકાર રાજ્યમાં તબક્કાવાર રીતે શાળાઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. શાળાઓ ક્યારથી શરૂ કરવી તેને લઈ હાઈપાવર કમિટિ નિર્ણય લેશે.