મહીસાગર: લુણાવાડા મલેકપુર હાઇવે ઉપર બાઈક ચાલકને અકસ્માત નડ્યો છે. ગેંગડીયા અને હડમતીયા ગામની વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું છે. અકસ્માતની જાણ થતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કઈ રીતે અકસ્માત સર્જાયો તે અંગે હજી માહિતી મળી શકતી નથી. આ ઉપરાંત બાઈક ચાલકની ઓળખ પણ થઈ શકી નથી. 


પંચમહાલમાં લગ્નમાં યુવકને એવો તે કઈ વાતનો ગુસ્સો આવ્યો કે આધેડની કરી નાખી હત્યા


પંચમહાલના કાલોલ તાલુકાના રતનપુરા ગામે આધેડની હત્યાની ઘટના સામે આવી છે. વરઘોડામાં સ્પ્રાઈટ ઉડાડવાની ના પાડવાની અદાવત રાખી યુવકે આધેડની હત્યા કરી નાખી. 45 વર્ષના દશરથ ગોહીલ નામના વ્યક્તિને તીક્ષ્ણ હથિયાર વડે હૂમલો કરી હત્યા કરવામાં આવી છે. આ હત્યા મામલે કાલોલ પોલીસે પૃથ્વી ભલસિંગ ઉર્ફે ભયલાલ પરમાર સામે હત્યાનો ગુનો નોધી આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 


તાંત્રિકના ચબૂતરા પર ચડી ગયો 4 વર્ષનો બાળક


 રાજસ્થાનના ઝાલાવાડ શહેરમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા એક પરિવારના 4 વર્ષના બાળકની હાલત ખરાબ છે. કારણ કે એક તાંત્રિકે તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ તેના પેટ પર તલવારથી ડામ આપ્યા હતા. ફેરવી હતી., જ્યારે બાળકે ચીસો પાડી તો તાંત્રિક ત્યાંથી ભાગી ગયો. આ ઘટના અસનાવર પોલીસ સ્ટેશનની છે અને આ ઘટના અંગે અસનાવર પોલીસને જાણ કરવામાં આવી છે અને હવે કેસ નોંધવામાં આવ્યો છે.


ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે માસૂમ પરિવાર સાથે આવ્યો હતો


અસનાવર પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે, ગોવિંદ નામનો વ્યક્તિ તેની પત્ની મમતા અને 4 વર્ષના પુત્ર સાથે તેના સાસરિયાના ઘરે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યો હતો. પરિવારના સભ્યોએ ગામ નજીકના જંગલમાં આવેલા પંથકના માતાજીના મંદિરમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઘટના શુક્રવાર સાંજની છે. દરમિયાન કર્મવીર અને અન્ય કેટલાક બાળકો માતાજીના મંદિર પાસે રમવા ગયા હતા. એક તાંત્રિક મંદિર પાસેના રૂમમાં તપ કરી રહ્યો હતો. તેને જોઈને અન્ય બાળકો ભાગી ગયા પરંતુ  પીડિત બાળક ત્યાં જ રહ્યા.