અમદાવાદ: ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક પર આજે મતદાન યોજાઈ રહ્યું છે. મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી પોતાના પ્રતિનિધિ પંસદ કરશે જે 24 તારીખે ખબર પડશે કે કઈ બેઠક પર કયા ઉમેદવાર વિજેતા થાયા. રાધનપુર બેઠક પરથી ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસમાંથી રઘુ દેસાઈ વચ્ચે જંગ જામ્યો છે.

પરંતુ મહત્વની વાત છે કે, રાધનપુર બેઠકના ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવાર આયાતી હોવાથી બન્ને ઉમેદવાર પોતાની જ વિધાનસભા બેઠક પર પોતાના માટે જ મત નહીં આપી શકે કારણ કે બન્ને ઉમેદવારનું નામ રાધનપુર વિધાનસભા બેઠકની ચૂંટણી પંચની યાદીમાં નથી.

રાધનપુર બેઠક પરથી ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસમાંથી રઘુ દેસાઈ વચ્ચે સીધો જંગ જામ્યો છે. જેમાં બન્ને ઉમેદવારો અમદાવાદના રહેવાસી છે અને રાધનપુર બેઠક પર ચૂંટણી માટે ઝંપલાવ્યુ છે.

રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ લોકો પાસે પોતાના માટે મત માગ્યા છે પરંતુ ખુદ પોતે પોતાનો મત અહીં નહીં આપી શકે કારણ કે બન્ને ઉમેદવારો રાધનપુરની જનતા માટે આયાતી છે.

કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અને હાલ રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર વિરમગામ વિધાનસભા બેઠકના એડલા ગામના મતદાર છે.

બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના મતદાર છે. આમ, બન્ને ઉમેદવાર આજે મતદાન કરી શકશે નહીં.