ગુજરાત ભાજપના કયા નેતાએ ફરી એકવાર ભાંગરો વાટ્યો? જાણો વિગત
abpasmita.in | 16 Nov 2019 08:23 AM (IST)
રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમે કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર હોવાના કારણે આપણી તરફેણમાં ચુકાદો આપ્યો છે.
ભરૂચ: ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર ભાંગરો વાટ્યો છે. પોતાના મતવિસ્તારમાં દિવાળી સ્નેહમિલનમાં બોલતાં મનસુખ વસાવાએ કહ્યું હતું કે, રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમે કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર હોવાના કારણે આપણી તરફેણમાં ચુકાદો આપ્યો છે. મનસુખ વસાવાના આ નિવેદનથી ગુજરાત સહિત દેશમાં જોરદાર હોબાળો મચી ગયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં મનસુખ વસાવા એવું કહેતા હતા કે, ‘દેશ આઝાદ પણ નહોતો થયો તે સમયથી રામજન્મભૂમિનું આંદોલન ચાલતું હતું. કેટલાંય લોકો તેમાં શહીદ થયા હતા. કેટલાંય આંદોલન થયા પરંતુ એ મુદ્દો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં સત્તામાં હોવાના કારણે આ સુપ્રીમ કોર્ટે આપણાં તરફી જજમેન્ટ આપવું પડ્યું હતું.