હિંમતનગંરના ચાંપલાનાર ગામનો અજય બાળપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે. અજયના પિતા વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, ચાંપલાનાર ગામમાં અજય બીજાના લગ્નના વરઘોડા જોઈને અજય હમેશાં પૂછતો કે એના લગ્ન ક્યારે થશે?
આ સવાલ સાંભળી મારી અને મારી પત્નીની આંખમાં આંસુ આવી જતાં અને છેલ્લે અજયના કાકા કમલેશભાઈએ ભત્રીજાની ઈચ્છા પૂર્ણ કરવા સહકાર આપતા લગ્ન યોજી અજયના લગ્નપ્રસંગ ધામધૂમથી યોજાયો હતો. આ વરઘોડામાં લોકો મન મૂકીને નાચ્યાં હતાં.
અજયના કાકા કમલેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, અજયના વરઘોડો માટે કંકોતરી પણ છપાવી ગુરુવારે ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ પણ કરી અને પીઠી પણ ચોળી અને શુક્રવારે વરઘોડો કાઢ્યો હતો. દિવ્યાંગ લોકોના નસીબમાં લગ્ન નથી હોતા પરંતુ તેમના પણ મનમાં લગ્નનાં ઓરતા હોય છે ત્યારે અજય આ બાબતે નસીબદાર રહ્યો હતો.