પોરબંદરઃ ફિલ્મ અભિનેતા આમિર ખાન ફરી આજે પોરબંદરમાં આવ્યો છે. વહેલી સવારે આમિર ખાને પરિવાર સાધે ગાંધીજન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. આમિર ખાને પરિવાર સાથે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કીર્તિ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.


ફિલ્મ અભિનેતાને જોઈ અધિકારીઓ ભાન ભુલ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્કના નિયમનો પણ ઉલાળીયો કરાયો હતો. નોંધનીય છે કે, આમિર ખાન પરિવાર સાથે સાસણની મુલાકાતે આવ્યો છે. ત્યારે આજે કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી.