મહેસાણા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન કર્યુ હતું.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ બહુચર માતાજીની પૂજા અર્ચના કરીને જન સુખાકારીની પ્રાર્થના કરી હતી. 


સીએમ ભુપેન્દ્ર પટેલે શું કહ્યું


શક્તિપીઠ બહુચરાજી ખાતે માઁ બહુચરાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. માતાજીના ચરણોમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસ અને નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્થે પ્રાર્થના કરી.

 






મંદિર પુન: નિર્માણનો સમગ્ર નકશો મુખ્યમંત્રી સમક્ષ પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ મંદિર પરિસર સહિત ત્રણે ફેઝની સમગ્ર પુન: નિર્માણ કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું. મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યુ હતું.બહુચરાજી મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીના આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા. 


 






આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી રજની પટેલ, રાજ્ય સભા સાંસદ મયંક નાયક, લોકસભા સાંસદ હરિ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણી સર્વ ગીરીશ રાજગોર, શ્રીમતી વર્ષાબેન દોશી,યજ્ઞેશ દવે, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રીમતી એસ. છાકછુઆક, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડૉ. હસરત જૈસમીન સહિતના  અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યા હતા. 


 






અત્રે ઉલ્લેખનીય છે કે બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે શ્રી બહુચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ કરી શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અનેક મંદિરોના વિકાસ માટે કામ કરવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો...


પોરબંદરમાં લોકમેળાની તૈયારીઓ શરૂ, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે