અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે, ત્યારે હવે રાજ્યમાં શિયાળાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારથી શિયાળો વિદાય લેશે, તે અંગે માહિતી આપી છે. એટલું જ નહીં, આજે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થશે, તેમ પણ જણાવાયું છે.


અમદાવાદ શહેરના નાગરિકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ રાત્રે થશે ઠંડીનો અહેસાસ થશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. અમદાવાદ શહેરમાં નાગરિકોને બેવડી ઋતુનો અનુભવ થશે. ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લેશે.

ત્રણ દિવસ પહેલા અમદાવાદ સહિત લઘુતમ તાપમાનમાં ૪ ડિગ્રી સુધીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી.