અમદાવાદ: નોટબંધીના વિરોધ મુદ્દે ગુજરાત કોંગ્રેસ બચાવની મુદ્રામાં આવી ગઈ છે. આજે આપવામાં આવેલુ ગુજરાત બંધનું એલાન પરત ખેંચવામાં આવ્યુ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોંફ્રેસ કરી જણાવ્યુ કે, સોમવારે નોટબંધીનો 20મો દિવસ છે. લોકોને અત્યંત મુશ્કેલી પડી રહી છે. સાથે જ સરકારને સમર્થન આપવાની વાત કરતા ભરતસિંહે જણાવ્યુ કે, અનેક સંગઠનો પાસેથી મંતવ્ય માગવામાં આવ્યા હતા તેમના મંતવ્યો બાદ નક્કી કરવામાં આવ્યુ છે કે ભાજપ સરકારને વધારે સમય આપવો જોઇએ. આ બધા કારણોસર આજે આપવામાં આવેલા ગુજરાત બંધના એલાનને મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ આજે ગુજરાત બંધના બદલે કોંગ્રેસ જનાક્રોશ દિવસ ઉજવશે અને  રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરશે.