ગાંધીનગર: રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે રાત્રી કર્ફ્યૂને લઈ ફેર વિચારણાના DGP આશિષ ભાટિયાએ સંકેત આપ્યા છે. તેમણે નિવેદન આપ્યું છે કે કોરોનાના કેસ વધશે તો રાત્રી કર્ફ્યૂ વધારવા સરકાર સાથે પરામર્શ કરી નિર્ણય લેવાશે. કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવાશે. છેલ્લા એક માસમાં પ્રથમવાર કોરોના કેસ થઈ ચુક્યા છે 400ને પાર.


અમદાવાદ સહિતનાં મહાનગરોમાં રાત્રી કરફ્યૂનાં સમયમાં અલગ-અલગ ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં હાલમાં અમદાવાદમાં બાર વાગ્યા બાદ કર્ફ્યુનો સમય રાખવામાં આવ્યો છે. અને જો આવનાર સમયમાં કોરોનાનાં કેસ વધશે તો રાત્રિનાં સમયમાં ફેરફાર કરવામાં આવશે તેવી પણ વિચારણ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે ફરી એક વખત કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 460 કેસ નોંધાયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.57 ટકા છે.