અમદાવાદ સહિતનાં મહાનગરોમાં રાત્રી કરફ્યૂનાં સમયમાં અલગ-અલગ ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં હાલમાં અમદાવાદમાં બાર વાગ્યા બાદ કર્ફ્યુનો સમય રાખવામાં આવ્યો છે. અને જો આવનાર સમયમાં કોરોનાનાં કેસ વધશે તો રાત્રિનાં સમયમાં ફેરફાર કરવામાં આવશે તેવી પણ વિચારણ કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે ફરી એક વખત કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 460 કેસ નોંધાયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.57 ટકા છે.