ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણ ફરી વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 424 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 1ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4408 પર પહોંચ્યો છે.


આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ

રાજ્યમાં આજે બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. જ્યારે અરવલ્લી સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી 8,19,801 લોકોને પ્રથમ ડોઝ અને 1,15,338 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.