આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ
રાજ્યમાં આજે બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નહોતા. જ્યારે અરવલ્લી સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં અત્યાર સુધી 8,19,801 લોકોને પ્રથમ ડોઝ અને 1,15,338 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.