Gujarat Corona Cases Update: રાજ્યમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં 400થી વધુ નવા કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Feb 2021 08:02 PM (IST)
છેલ્લા 24 કલાકમાં 424 નવા કેસ નોંધાયા હતા જ્યારે 301 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે આજે અમદાવાદ કોર્પોરેશનમાં એકના મોત સાથે કુલ મૃત્યુઆંક 4408 પર પહોંચ્યો છે.
પ્રતિકાત્મક તસવીર
NEXT PREV
ગાંધીનગર: રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 424 નવા કેસ નોંધાયા હતા જ્યારે 301 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે આજે અમદાવાદ કોર્પોરેશનમાં એકના મોત સાથે કુલ મૃત્યુઆંક 4408 પર પહોંચ્યો છે. રાજ્યમાં લાંબા સમય બાદ કોરોનાના કેસ 400થી વધારે નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.62 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 262172 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ 1991 એક્ટિવ કેસ છે, જેમાંથી 35 લોકો વેન્ટિલેટર પર અને 1956 લોકો સ્ટેબલ છે. આજે ક્યા કેટલા કેસ નોંધાયા ? આજે સુરત કોર્પોરેશનમાં 79, વડોદરા કોર્પોરેશમાં 79, અમદાવાદ કોર્પોરેશન 71, રાજકોટ કોર્પોરેશન 54, કચ્છ 11, વડોદરા-10, જામનગર કોર્પોરેશન-9,રાજકોટ 9, સુરત 8, આણંદ 7, ખેડા 7 અને ગાંધીનગર કોર્પોરેશન, મહીસાગર અને નર્મદામાં 6-6 કેસ નોંધાયા હતા. રાજ્યના 6 જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી ગુજરાતમાં અત્યાર સુધી 8,19,801 લોકોને પ્રથમ ડોઝ અને 1,15,338 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.