ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટને કોરોના થયો છે. જેમની તેમને ખુદ ટ્વીટ કરી માહિતી આપી છે. તેમણે કહ્યું કોરોનાના લક્ષણો જોવા મળતા RTPCR ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવેલ છે.


શબ્દશરણ બહ્મભટ્ટ ડોક્ટરોની સલાહથી હાલ હોમ ક્વોરંટાઈન થયા છે અને છેલ્લા બે દિવસમાં સંપર્કમાં આવેલ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધી સાત સાંસદો અને 25થી વધુ ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.


નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63  લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે. 


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને  સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. 






ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


સુરત કોર્પોરેશનમાં 324, અમદાવાદ કોર્પોરેશનમાં 298, વડોદરા કોર્પોરેશનમાં 111,  રાજકોટ  કોર્પોરેશનમાં 98, સુરતમાં 71,જામનગર કોર્પોરેશન -38, ખેડા-25, પંચમહાલ-25,  ભાવનગર કોર્પોરેશન-24, દાહોદ 18, મહેસાણા 18, વડોદરા 18, આણંદ 15, કચ્છ 15, રાજકોટ 15,  ગાંધીનગર કોર્પોરેશન-14, ભરૂચ 13, મહિસાગર 13, નર્મદા 13, સાબરકાંઠા 13,  ગાંધીનગર-10, જામનગરમાં 10, અમરેલી 8, ભાવનગરમાં 8,  પાટણ 7, અમદાવાદ, છોટા ઉદેપુર અને મોરબીમાં 6-6  કેસ નોંધાયા હતા.


ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ  ?


સુરત કોર્પોરેશનમાં 261, અમદાવાદ કોર્પોરેશનમાં 250, વડોદરા કોર્પોરેશનમાં 95, રાજકોટ કોર્પોરેશનમાં 67,  સુરતમાં 5, રાજકોટ-10, ભરુચ-11, મહેસાણા-15, જામનગર કોર્પોરેશન -12, ખેડા-15, ભાવનગર કોર્પોરેશન 11, ભરૂચ 11, મહીસાગર 11 અને દેવભૂમિ દ્વારકામાં 13 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 24,13,350    લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,67,671 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 1,55,174  લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,39,050 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.