આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 201, અમદાવાદ કોર્પોરેશનમાં- 152, સુરત-98, વડોદરા કોર્પોરેશનમાં- 79, રાજકોટ કોર્પોરેશન- 52, અમરેલી 39, બનાસકાંઠા- 35, દાહોદ- 30, નર્મદા 26, સુરેન્દ્રનગર 24, છોટા ઉદેપુર 22, પાટણ 22, કચ્છ 20, રાજકોટ 20, ભરૂચ 19, ગીર સોમનાથ 18, જૂનાગઢ કોર્પોરેશન 18, મહેસાણા-18, નવસારી 18, પંચમહાલ 18, ભાવનગર- કોર્પોરેશન -17 , વલસાડ 15, ભાવનગર 14, સાબરકાંઠા 14, ગાંધીનગર- 13, વડોદરા 13, અમદાવાદ 11, આણંદ 11, મોરબી 10, ખેડા 9, તાપી 9, જામનગર કોર્પોરેશન 8, ડાંગ 6, ગાંધીનગર કોર્પોરેશન 6, જામનગર 6, બોટાદ 5, દેવભૂમિ દ્વારકા 4, અરવલ્લી 3, મહિસાગર 3, જૂનાગઢ 2, અને પોરબંદરમાં 2 કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 21 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 7, સુરતમાં 5, અમદાવાદ કોર્પોરેશન -3, ગાંધીનગર 1, જામનગર કોર્પોરેશન 1, મોરબી 1, રાજકોટ 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશન -1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2326 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં હાલ 13131 એક્ટિવ કેસ છે, જેમાંથી 85 વેલ્ટીલેટર પર છે અને 13046 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 40365 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,42,370 ટેસ્ટ કરવામાં આવ્યા છે.