Coronavirus: રાજ્યમાં આજે 1114 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 93.79 ટકા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Dec 2020 09:51 PM (IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી સંક્રમિત 910 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 6 લોકોના મૃત્યુ થયા હતા.
પ્રતિકાત્મક તસ્વીર
ગાંધીનગર: રાજ્યમાં સતત પાંચમાં દિવસે એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોના સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 2 લાખ 40 હજારને પાર પહોંચી ગઈ છે, જેમાંથી 4268 લોકોના જીવલેણ વાયરસના કારણે મોત થયા છે. જો કે, અત્યાર સુધી કુલ 2,25,206 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 1114 દર્દીઓ સાજા થયા હતા. કોરોનાથી સાજા થવાનો દર 93.79 ટકા છે. અત્યાર સુધી 2,25,206 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી સંક્રમિત 910 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 6 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,40,105 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 10631 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 93,30,491 ટેસ્ટ કરવામાં આવ્યા છે.