ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના વાયરસના વધુ 1320 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 101,695 પર પહોંચી છે. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3078 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 1218 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 81.02 ટકા છે.


સુરત કોર્પોરેશનમાં આજે નવા 181 કેસ નોંધાયા છે, જ્યારે 285 દર્દીઓ સ્વસ્થ થયા છે. જામનગર કોર્પોરેશનમાં આજે 99 નવા કેસ નોંધાયા છે, તેની સામે 102 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજકોટમાં 57 નવા કેસ નોંધાયા છે, જ્યારે 100 દર્દીઓ સ્વસ્થ થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 89 કેસ નોંધાયા છે, જ્યારે 186 દર્દીઓ સ્વસ્થ થયા છે.

રાજ્યમાં હાલ 16219 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 82398 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 16127 લોકો સ્ટેબલ છે.