ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 572 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 25 દર્દીઓનાં મોત થયા છે અને 575 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 29,001‬ પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1736 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 21096 દર્દી સાજા થયા છે.

આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 205, સુરત કોર્પોરેશનમાં 155, વડોદરા કોર્પોરેશનમાં 35, સુરતમાં 17, અમદાવાદમાં 10, વડોદરા-10, ભરૂચ 10, રાજકોટ કોર્પોરેશન 9, આણંદ 9, પંચમહાલ -9, સુરેન્દ્રનગર 5, નર્મદા-9, અરવલ્લી - 7, નવસારી - 6, ગાંધીનગર- 5, કચ્છ- 5, ગીર સોમનાથ- 5, વલસાડ-5, મહેસાણા- 4, રાજકોટ- 4, અમરેલી-4, ભાવનગર કોર્પોરેશન -3, મહિસાગર, પાટણ, ખેડા, છોટાઉદેપુરમાં 3-3, ગાંધીનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ભાવનગર, જૂનાગઢમાં બે -બે કેસ, બનાસકાંઠા , સાબરકાંઠા, બોટાદ, જામનગર અને દાહોદમાં એક -એક નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 25 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 15, સુરત કોર્પોરેશનમાં 5, પાટણ-2,જામનગર કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા-1, ગીર સોમનાથમાં -1 મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1711 લોકોનાં મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21096 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6169 એક્ટિવ કેસ છે, જેમાંથી 70 વેલ્ટીલેટર પર છે અને 6099 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,40, 080 ટેસ્ટ કરવામાં આવ્યા છે.