ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 681 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા છે. આજે 563 દર્દીઓએ સાજા થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33,999 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1888 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24601 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 202, સુરત કોર્પોરેશનમાં 191, વડોદરા કોર્પોરેશનમાં 46, સુરત 36, રાજકોટ 22, બનાસકાંઠા-12, સુરેન્દ્રનગર 12, ભાવનગર કોર્પોરેશન 11, વડોદરા 11, જામનગર કોર્પોરેશન 10, ભરૂચ 10, પાટણ 10, જુનાગઢ કોર્પોરેશન, અમદાવાદ, મહેસાણામાં નવ- નવ કેસ, વલસાડ-8, અમરેલી-7, ગાંધીનગર-6, કચ્છ- 5, ખેડા-5, રાજકોટ કોર્પોરેશન, અરવલ્લી, પંચમહાલ, નવસારી, જુનાગઢમાં ચાર- ચાર કેસ, આણંદ, સાબરકાંઠા, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને મોરબીમાં ત્રણ -ત્રણ કેસ, ગાંધીનગર કોર્પોરેશન, મહીસાગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તાપીમાં એક-એક કેસ છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓના કોવિડ 19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 2, જુનાગઢ કોર્પોરેશન, સુરત, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં એક-એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1888 લોકોનાં કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24601 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 7510 એક્ટિવ કેસ છે, જેમાંથી 68 વેલ્ટીલેટર પર છે અને 7442 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,88,065 ટેસ્ટ કરવામાં આવ્યા છે.