આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 208, અમદાવાદ કોર્પોરેશનમાં 180, વડોદરા કોર્પોરેશનમાં 50, નવસારી 24, સુરત 21, જામનગર કોર્પોરેશન 15, ભરૂચમાં 15, વલસાડ 15, બનાસકાંઠા 12, સુરેન્દ્રનગર 12, મહેસાણા -10, રાડકોટ કોર્પોરેશન -9, ખેડા-9, ગાંધીનગર કોર્પોરેશન -8, આણંદ- 8 , જુનાગઢ કોર્પોરેશન -7, અમદાવાદ-7, વડોદરા-7, રાજકોટ-6, પંચમહાલ-5, સાબરકાંઠા-5, મોરબી-4, ભાવનગર કોર્પેોરેશન, અરવલ્લી, કચ્છ, ભાવનગર, જામનગરમા ત્રણ-ત્રણ કેસ, પાટણ, મહીસાગર, બોટાદ, દાહોદ, છોટાઉદેપુરમાં બે-બે કેસ, નર્મદા, ગીર સોમનાથમાં એક એક કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓના કોવિડ 19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત, ભરુચ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, અમરેલી, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં એક એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1869 લોકોનાં કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24038 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 7411 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 વેલ્ટીલેટર પર છે અને 7348 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,80,640 ટેસ્ટ કરવામાં આવ્યા છે.