ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 21 દર્દીઓનાં કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં આજે 368 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે સંક્રમિત દર્દીઓની સંખ્યા 33318 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1869 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24038 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 208, અમદાવાદ કોર્પોરેશનમાં 180, વડોદરા કોર્પોરેશનમાં 50, નવસારી 24, સુરત 21, જામનગર કોર્પોરેશન 15, ભરૂચમાં 15, વલસાડ 15, બનાસકાંઠા 12, સુરેન્દ્રનગર 12, મહેસાણા -10, રાડકોટ કોર્પોરેશન -9, ખેડા-9, ગાંધીનગર કોર્પોરેશન -8, આણંદ- 8 , જુનાગઢ કોર્પોરેશન -7, અમદાવાદ-7, વડોદરા-7, રાજકોટ-6, પંચમહાલ-5, સાબરકાંઠા-5, મોરબી-4, ભાવનગર કોર્પેોરેશન, અરવલ્લી, કચ્છ, ભાવનગર, જામનગરમા ત્રણ-ત્રણ કેસ, પાટણ, મહીસાગર, બોટાદ, દાહોદ, છોટાઉદેપુરમાં બે-બે કેસ, નર્મદા, ગીર સોમનાથમાં એક એક કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓના કોવિડ 19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત, ભરુચ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, અમરેલી, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં એક એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1869 લોકોનાં કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 24038 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 7411 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 વેલ્ટીલેટર પર છે અને 7348 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,80,640 ટેસ્ટ કરવામાં આવ્યા છે.