ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે રાજ્યમાં 1153 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ 219 કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 833 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 73.09 ટકા છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 833 લોકો હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોતાને ઘરે પરત ફર્યા છે. જેમાં સૌથી વધુ દર્દીઓમાં સુરત કોર્પોરેશનમાં 133 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે 100 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.

સુરત કોર્પોરેશનમાં આજે 219 નવા કેસ નોંધાયા છે, જ્યારે 133 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સુરત જિલ્લામાં નવા 65 કેસ નોંધાયા છે, જ્યારે 56 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

મહેસાણામાં આજે નવા 40 કેસ નોંધાયા છે, જ્યારે 63 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે. વડોદરા કોર્પોરેશનમાં 80 નવા કેસ નોંધાયા છે, જ્યારે 15 દર્દીઓને રજા અપાઈ છે. વડોદરામાં 14 કેસ નોંધાયા છે, જ્યારે 70 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.