ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક નવા 861 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 15 દર્દીના મોત છે. આજે 429 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 39, 280 પર પહોંચ્યો છે, જ્યારે મૃત્યાઆંક 2010 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 27742 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 212, અમદાવાદ કોર્પોરેશનમાં 153, સુરત 95, વડોદરા કોર્પોરેશનમાં 43, વલસાડ-28, વડોદરા-25, ગાંધીનગર- 24, ભરૂચ-19, બનાસકાંઠા- 18, રાજકોટ કોર્પોરેશન-18, ખેડા- 17, મહેસાણા - 17, નવસારી-16, ભાવનગર કોર્પોરેશન - 14, દાહોદ- 13, જુનાગઢ કોર્પોરેશન 12, આણંદ- 11, સાબરકાંઠા- 11, સુરેન્દ્રનગર-10, અમદાવાદ-9, ભાવનગર- 9, ગીર સોમનાથ-9, અમરેલી - 8, ગાંધીનગર કોર્પેોરેશન -8, તાપી -8, જામનગર કોર્પોરેશન-7, જુનાગઢ-7, બોટાદ-6, અરવલ્લી-5, કચ્છ-5, પાટણ 5, છોટાઉદેપુ-4, જામનગર -4, મોરબી -4, પંચમહાલ-3, રાજકોટ-2, નર્મદા-1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 5, સુરત કોર્પોરેશન - 4, સુરત 2, અરવલ્લી-1, પાટણ- 1, બનાસકાંઠા-1, ભરૂચ-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2010પર પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27742 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 9528 એક્ટિવ કેસ છે, જેમાંથી 72 વેલ્ટીલેટર પર છે અને 9456 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,41,692 ટેસ્ટ કરવામાં આવ્યા છે.