ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 879 કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 41906 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 13 લોકોનાં મોત થયા છે અને 513 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક 2047 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 29198 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 205, અમદાવાદ કોર્પોરેશનમાં-152, સુરત -90, વડોદરા કોર્પોરેશનમાં-68, સુરત 46, ભાવનગર કોર્પોરેશન -31, જૂનાગઢ 29, મહેસાણા 23, રાજકોટ 23, રાજકોટ કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 21, અમદાવાદ 20, મોરબી 19, ગાંધીનગર 18, અમરેલી 16, ખેડા 16, વલસાડ 16, ભાવનગર 15, ભરૂચ 14, બનાસકાંઠા 13, જૂનાગઢ કોર્પોરેશન 13, આણંદ 11, ગાંધીનગર કોર્પોરેશન 11, નવસારી 11, પંચમહાલ 10, દાહોદ 9, કચ્છ 7, વડોદરા 7, ગીર સોમનાથ 6, જામનગર કોર્પોરેશન 6, બોટાદ 5, પાટણ 4, છોટા ઉદેપુર 3, સાબરકાંઠા 3, અરવલ્લી 2, તાપી 2, મહીસાગર 1 કેસ નોંધાયો છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 13 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 4, સુરત કોર્પોરેશન - 3 , જૂનાગઢ 2, સુરત 2, ખેડા 1 અને રાજકોટ કોર્પોરેશનમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2047 પર પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29198 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 10661 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 વેલ્ટીલેટર પર છે અને 10594 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,64, 664 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લામાં કુલ 3,25,442 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,22,788 લોકો હોમ ક્વોરેન્ટાઈન છે.