ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના વધુ 620 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં આજે 422 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 32643 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1848 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 23670 દર્દીઓ સાજા થયા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 183, અમદાવાદ કોર્પોરેશનમાં 182, વડોદરા કોર્પોરેશનમાં 50, વલસાડ 20, સુરત 16, જામનગર કોર્પોરેશન 15, અમદાવાદ 15, આણંદ 14, ગાંધીનગર 13, પાટણ 11, કચ્છ 9, ભરૂચ 8, મહેસાણા 7, જૂનાગઢ કોર્પોરેશન 6, ખેડા 6, ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશન 5, અરવલ્લી 5, પંચમહાલ 5, સાબરકાંઠા 4, બોટાદ 4, સુરેન્દ્રનગર 4, ગાંધીનગર કોર્પોરેશન 3, ભાવનગર 3, જામનગર 3, ગીર સોમનાથ 3, પોરબંદર 3, અમરેલી 3, વડોદરા 2, મહીસાગર 2, જૂનાગઢ 2, નવસારી 2, મોરબી 2, બનાસકાંઠા 1, રાજકોટ 1, નર્મદા 1, દેવભૂમિ દ્વારકા 1 અને અન્ય રાજ્ય 1 કેસ નોંધાયો છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 20 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2, ગાંધીનગર 2, જૂનાગઢ કોર્પોરેશન 1, પાટણ 1 અને નવસારીમાં 1 દર્દીનું મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1848 લોકોનાં કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 23670 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 6928 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 6857 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે.