coronavirus Gujarat update : રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 581 નવા કેસ નોંધાયા હતા જ્યારે 453 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.


રાજ્યમાં અત્યાર સુધી 266766 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.17 ટકા પર પહોંચ્યો છે. હાલ 3338 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 3295 લોકો સ્ટેબલ છે.


આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?


આજે સુરત કોર્પોરેશનમાં 127, અમદાવાદ કોર્પોરેશનમાં 123, વડોદરા કોર્પોરેશનમાં 81, રાજકોટ કોર્પોરેશન 48, સુરત 20, ભરૂચ 18, મહેસાણા 17, ખેડા 14, વડોદાર 12, આણંદ 10, રાજકોટ 10, કચ્છ 9, જામનગર કોર્પોરેશન અને સાબરકાંઠામાં 7-7  કેસ નોંધાયા હતા.


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 16,53,705  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,85,709 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,30,426 લોકોને રસી આપવામાં આવી છે.