ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 348 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા છે અને 273 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 10989 પર પહોંચી છે અને 625 લોકોનાં મોત થયા છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.


સ્વાસ્થ્ય મંત્રાલાય અનુસાર છેલ્લા અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં 33500 સુપરસ્પ્રેડર્સની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જે પૈકી 6587 વ્યકિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 709 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.  જેની ગણતરી સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 10989  થાય છે.

અમદાવાદમાં 264, વડોદરા 19, સુરતમાં 34, રાજકોટ 1, ભાવનર- 4, ગાંધીનગર-6, પાટણ 3, પંચમહાલ-1, મહેસાણા-2, દાહોદ-2, ખેડા-6, જુનાગઢમાં 1, સાબરકાંઠા- 3 અને વલસાડમાં બે નવા સામે આવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 19 લોકોનાં મોત થયા છે. જેમાંથી 9નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 10નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. અમદાવાદમાં 14 ,સુરતમાં 2, ભાવનગર, ગાંધીનગર અને બનાસકાંઠામાં એક-એકનું મોત થયું છે.

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 10989 કોરોના કેસમાંથી 46 દર્દી વેન્ટિલેટર પર છે અને 6010 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 4308 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 138407 ટેસ્ટ થયા જેમાંથી 10989  કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.