ગાંધીનગર: કોરોના મહામારી સામે લડવાના ખર્ચ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને મળતા વેતનમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. ધારાસભ્યને મળતી દોઢ કરોડની ગ્રાંટને પણ એક વર્ષ માટે કરી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


મુખ્યમંત્રી વિજય રૂપણીએ કહ્યું રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની MLA લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે કેન્દ્રની મોદી સરકારે બે વર્ષ સુધી સાંસદોના પગારમાં 30 ટકા કાપ કરીને તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં અને MP લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતા ગુજરાત સરકારે પણ આ નિણર્ય કર્યો છે.