ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ 364 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 29 દર્દીઓનાં મોત થયા છે અને 316 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 9268 પર પહોંચી છે અને 566 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.


અમદાવાદમાં 292, સુરતમાં 23, વડોદરામાં 18, મહેસાણામાં 8, દેવભૂમિ દ્વારકામાં 7, ભાવનગરમાં 3 અને જામનગરમાં 3 નવા કેસ  પાટણમાં 2, પંચમહાલ, બનાસકાંઠા, ગીર-સોમનાથ, ખેડા, અરવલ્લી, મહીસાગર, જુનાગઢ અને અમરેલીમાં 1-1 નવા કેસ સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. જેમાંથી 7નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 22નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે.  અમદાવાદમાં 25 , પાટણ 1 અને સુરતમાં 3 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 9268 કોરોના કેસમાંથી 39 દર્દી વેન્ટિલેટર પર છે અને 5101 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3562 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 122297 ટેસ્ટ થયા જેમાંથી 9268 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.