સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ગઈ કાલે વિરમગામના કોરોનાના દર્દીનું મોત થયું હતું. ત્યારે હવે 65 વર્ષીય વૃદ્ધના પત્નીનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતાં મહિલાને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલના આઇસોલેશનમાં વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.


નોંધનીય છે કે, વિરમગામથી ગેરકાયદેસર રીતે જિલ્લામાં પ્રવેશ કરવા મૃતક સહિત ત્રણ શખ્સો સામે બી-ડિવિઝન પોલિસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે . વિરમગામ ખાતે રહેતા ૬૫ વર્ષના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા ગત તારીખ ૧૧ મે ના રોજ સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.