ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ 347 નવા કેસ સામે આવ્યા છે, તેની સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 8542 પર પહોંચી છે. જ્યારે વધુ 20 દર્દીઓના મોત થયા છે અને 235 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના અત્યાર સુધીમાં 513નાં મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.


આજે નવા નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી અમદાવાદમાં 268, સુરત-19, વડોદરા-29, ભાવનગર-1, આણંદ-2, ભરુચ-3, ગાંધીનગર-10, પંચમહાલ-4, મહેસાણા-2, સાબરકાંઠા- 3, નર્મદા-1, જામનગર-3, અરવલ્લી-2 અને જુનાગઢમાં એક કેસ સામે આવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 20 લોકોનાં મોત થયા છે. જેમાંથી 6નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 14નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 20 પૈકી અમદાવાદમાં 19 અને મહેસાણામાં 1 મોત થયું છે. આ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ 513 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 8542 કોરોના કેસમાંથી 31 દર્દી વેન્ટિલેટર પર છે અને 5218 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2780 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 116471 ટેસ્ટ થયા જેમાંથી 8542 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.