તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં ભારે તબાહી સર્જી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ તબાહી માચવ્યા બાદ  મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ રહી છે.  રાજ્યમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે.  મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. વીજપોલ તૂટી પડ્યા છે. વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.  તૌક્તે વાવાઝોડાની અસરને પગલે રાજ્યના  હવામાન વિભાગ દ્વારા  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરી છે. ખેડા, વડોદરા, મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 6 વાગ્યાથી બપોર 2 વાગ્યા સુધીમાં 176 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.


અત્યાર સુધીમાં સૌથી વધુ ભાવનગરમાં સવા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના ઉમરગામ, સુરતના ઓલપાડ, અમરેલીના રાજુલા અને બોટાદ સહિતના વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 4 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ, 11 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ, 27 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ અને 62 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.


અમરેલીના સાવરકુંડલામાં સાત ઈંચ, ભાવનગરના પાણીતાણામાં સાડા છ ઈંચ, અમરેલી શહેરમાં સવા પાંટ ઈંચ, મહુવામાં પાંચ ઈચ, રાજુલામાં પાંચ ઈંચ, ખાંભામાં પાંચ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, ગઢડામાં ચાર ઈંચ, વિસાવદરમાં ચાર ઈંચ, ઉમરાળામાં પોણા ચાર ઈંચ,  ધારીમાં ત્રણ ઈંચ, ભાવનગરમાં શહેરમાં ત્રણ ઈંચ, જેસરમાં પોણા ત્રણ ઈંચ, વલભીપુરમાં પોણા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.


ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે?


 


૧૮ મે: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ,ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૃચ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર,


 


૧૯ મે: અમદાવાદ, ગાંધીનગર આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, ખેડા, સુરત, ભરૃચ, વડોદરા.